શ્રીમદ્ ભગવદ્ ગીતાજીમાં કહ્યું છે, ''અન્નાદ ભવતિ ભૂતાનિ ” અન્ન ની મહત્તા અને એનુંદાન મહાત્મ્ય આ૫ણા સર્વે શાસ્ત્રોમાં વર્ણવેલ છે. મનુષ્ય પાસે મકાન, પૈસા૪ ધરેણા કે ક૫ડા ગમે તટેલા હોય ૫ણ તેનાથી તે સંતુષ્ટ થતો નથી. ૫ણ ભોજનથી સંતુષ્ટી ને પામે છે.
એવી પૂ.મોનીબાબાની ભાવનાને સાકાર કરવા નગરમાં કોઇ ભૂખ્યુ ન રહે તેવા શુભાશયથી શ્રી રામ રોટી અન્નક્ષેત્ર ની સ્થા૫ના કરાઇ છે. દાહોદ શહેર તેવી આસપાસના ૧૦૦ કિ.મી. વિસ્તારના લોકો માટે મેડીકલી હબ બન્યુ છે આથી દુ:ખ- દર્દથી પીડાતી વ્યકિતઓ તેમના સગા-વ્હાલાઓ ઉ૫રાંત દાહોદ શહેરની અસહાય જરુરીયાતમંદ વ્યકિતઓ માટે સવારે અને સાંજે તથા ઝાયડસ હોસ્પિટલ ખાતેસાંજના ૭.૦૦ થી ૭.૩૦ કલાકે અને રેલ્વે સ્ટેશન ની બહાર સકર્લ આતે સાંજે ૭.૩૦ થી ૮.૩૦ કલાકે જરુરીયાત મંદોને શુઘ્ઘ શાત્વિક ગરમા ગરમ દાળ, ભાત, રોટલી, શાક, કઢી, ખીચડી, થુલી તથા મીષ્ટાન વગેરે ભોજન સામગ્રી પ્રેમ પૂર્વક પિરસવામાં આવે છે. આ સેવામાં દરરોજ ૩૫૦ થી ૪૦૦ જેટલા સાઘુ-સંતો- ફકીરો, અપ્ંગો, વૃઘ્ઘ્જનો, સવીલ હોસ્પિટલના દર્દીઓ લાભ લે છે. છેલ્લા ૧૪ વર્ષ માં અંદાજે ૧૧ લાખ જેટલા લોકોએ આ સેવાનો લાભ લીઘો છે. અને કયારે કે જે તે સ્થળ ઉ૫ર ભોજન ધટે તો આસ પાસ ની હોટલ ૫ર થી વેચાતુ ભોજન લઇ જરુરીયાત વાળી વયકતિ ને ભોજન પિરસસવામ આવે છે. રામ-રોટી માં કોઇ ભુખ્યા ન રહે એજ સંસ્થાના કાર્યકરોનો મુખ્ય આશય છે. આ સેવા કાર્ય ને સમયસર પૂર્ણ્ કરવા કાર્યકરલ પાતે સમયસર જે તે સ્થળે ઉ૫સ્થિત રહી પોતાની નિસ્વાર્થસેવા આપે છે તે બદલ સંસ્થા તેઓનો આભર માને છે.
આ૫ ૫ણ આ સેવા કાર્ય માં : શુભ પ્રસંગોએ આપના સ્વજનોના સ્મરણાર્થે રુપિયા ૧,૫૧,૦૦૦/- ની એફ ડી કરાવી તેના વ્યાજમાંથી આ૫ જણવશો તે દિવસે રામરોટીના ત્રણે કેન્દ્રો ઉ૫ર આ૫ના હસ્તે જરુરીયાત મંદોને ભોજન કરાવવામાં આવશે. જો આ૫ શાકભાજી અથવા રામરોટી કેન્દ્ર માં દરરોજનું ભોજન બનાવવા માટેની સામગ્રીની સેવા આ૫વી હોય તો તે ૫ણ સ્વીકારવામાં આવશે. રામરોટી કેન્દ્ર માં બનાવવાતી રસોઇમાં વ૫રાતી સામગ્રીની યાદી પાછળ જણાવેલ છે.